Loading Please Wait !!!
રામનાથ મહાદેવ મંદિરે આજે રાત્રે 12 વાગ્યા સુધી રક્તદાન કેમ્પ

માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે નવજીવન પ્રદાન કરવાનો ઉમદા હેતુ

સિટી ન્યૂઝ@રાજકોટ

આજ રોજ સોમવાર, તા. ૨૪-૦૮-૨૦૨૬ના રોજ સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવ મંદિરના પવિત્ર સાનિધ્યમાં એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સમાજમાં સેવાનાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ થેલેસેમિયાગ્રસ્ત બાળકોને નવજીવન પ્રદાન કરવાનો છે. આ ધાર્મિક અને સામાજિક કેમ્પનું આયોજન 'રક્તદાન મહાદાન'ના પવિત્ર ભાવ સાથે કરવામાં આવ્યું છે, જેમાં શહેરના નાગરિકોને બહોળી સંખ્યામાં જોડાઈને રક્તદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે.

થેલેસેમિયા જેવી બીમારી સામે ઝઝૂમતા માસૂમ બાળકોને જીવનદાન આપવા માટે નિયમિત રક્તની જરૂર પડે છે. આ જરૂરિયાતમાં પહોંચી વળવા અને સમાજમાં જાગૃતિ લાવવા માટે આ વિશેષ ૧૫મા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. "સેવા કા સંકલ્પ બદલાવ કા પ્રયાસ" ના પ્રેરણાદાયક સૂત્ર સાથે યોજાયેલ આ કેમ્પ દર્શાવે છે કે સામાજિક બદલાવ માટે રક્તદાન એ એક અત્યંત મહત્વપૂર્ણ કદમ છે. અગાઉના કેમ્પની સફળતા બાદ આ ૧૬મો કેમ્પ પણ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

આ માનવતાવાદી કાર્યક્રમનું સુંદર આયોજન શ્રી અમીત રાઠોડ (M.M) દ્વારા કરવામાં આવ્યું છે. રક્તદાતાઓની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને આ કેમ્પનો સમય સાંજે ૪:૦૦ વાગ્યાથી શરૂ કરીને છેક રાત્રીના ૧૨:૦૦ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે, જેથી નોકરી-ધંધે જતા લોકો પણ સરળતાથી રક્તદાન કરી શકે. રામનાથ મહાદેવ મંદિરે યોજનાર આ સેવા કાર્યમાં જોડાવા અથવા વધુ માહિતી માટે આયોજકનો મોબાઇલ નંબર ૯૮૨૫૬ ૭૫૫૫૫ પર સંપર્ક કરી શકાશે. આયોજકો દ્વારા તમામ સેવાભાવી નાગરિકોને આ મહાદાનમાં સહભાગી થવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.