TRP અગ્નિકાંડ : 27 જિંદગીઓ ખાખ આરોપીઓ જામીન પર
રાજકોટ સહિત દેશભરના લોકોને હચમચાવી મૂકનારી TRP ગેમઝોન અગ્નિકાંડને આજે બે વર્ષ પૂર્ણ થયા છે. ૨૫ મે, ૨૦૨૪ની એ સાંજ જીવ ગુમાવનારા ૨૭ લોકોના પરિવારજનો અને રાજકોટવાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે. TRP ગેમઝોનમાં અચાનક લાગેલી આગ ગણતરીની મિનિટોમાં જોતજોતામાં ૨૭ લોકો ભડથું ગયા હતા. હૃદયદ્રાવક આ બનાવની આજે બીજી વરસી છે. ઘટના સમયે આરોપીઓને કડકમાં કડક સજા અને પરિવારજનોને ઝડપી ન્યાયના દાવાઓ થયા. પરંતુ, આજે સ્થિતિ એ છે કે, ૨૭ હતભાગીઓના પરિવારજનો ન્યાયની રાહમાં છે અને તમામ આરોપીઓ જામીન પર મુક્ત છે.
બે વર્ષ દરમિયાન ક્યારે શું થયું?
| તારીખ | વિગત |
| ૨૫ મે, ૨૦૨૪ | આગ લાગતા ૨૭ લોકોના મોત |
| ૨૬ મે, ૨૦૨૪ | ગેમઝોન સાથે સંકળાયેલ લોકોની પૂછપરછ શરૂ કરાઈ |
| ૨૭ મે, ૨૦૨૪ | હાઈકોર્ટમાં સુઓમોટો પર સુનાવણી થતા RMCના ૮ અધિકારી સસ્પેન્ડ, મનપા અને પોલીસ કમિશનરની બદલી |
| ૨૯ મે, ૨૦૨૪ | યુવરાજસિંહ સોલંકી, નીતિન જૈન અને રાહુલ રાઠોડની ધરપકડ કરવામાં આવી |
| ૩૧ મે, ૨૦૨૪ | ગૌતમ જોશી, મુકેશ મકવાણા, મનસુખ સાગઠીયાની ધરપકડ |
| ૧ જૂન, ૨૦૨૪ | ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા સામે ACBમાં અપ્રમાણસર મિલકત હેઠળ ફરિયાદ દાખલ |
| ૭ જૂન, ૨૦૨૪ | ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એ સમયના ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીની પૂછપરછ કરવામાં આવી |
| ૮ જૂન, ૨૦૨૪ | TPO મનસુખ સાગઠીયા સામે વધુ એક ફરિયાદ દાખલ |
| ૧૦ જૂન, ૨૦૨૪ | ગેમઝોનના ત્રણ સંચાલક અને એક મેનેજરને જેલ હવાલે કરવામાં આવ્યા |
| ૧૧ જૂન, ૨૦૨૪ | ડે. ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબાને સસ્પેન્ડ કરવામાં આવ્યા |
| ૧૬ જૂન, ૨૦૨૪ | ATPO રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીની ધરપકડ |
| ૧૯ જૂન, ૨૦૨૪ | મનસુખ સાગઠીયા સામે અપ્રમાણસર મિલકત સંબંધે ACBમાં ફરિયાદ દાખલ |
| ૨૨ જૂન, ૨૦૨૪ | રાજકોટ મનપાના CFO ઈલેશ ખેર, DY.CFO ભીખા ઠેબા અને વેલ્ડિંગ કામનું સુપરવિઝન કરનાર મહેશ રાઠોડની ધરપકડ |
| ૨૩ જુલાઈ, ૨૦૨૪ | ૩૪૫ સાક્ષીઓના નિવેદન સાથે ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરાયું |
| ૧૭ જુલાઈ, ૨૦૨૫ | ઘટનાના ૪૧૮માં દિવસે કેસ ચાર્જફ્રેમ કરવામાં આવ્યો |
| ૧૨ જૂન, ૨૦૨૬ | કેસની વધુ સુનાવણી હાથ ધરાશે |
ક્યા આરોપી ક્યારે જામીન મળ્યા?
TRP ગેમઝોન અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા 27 લોકો
-
સત્યપાલસિંહ જાડેજા, સ્મિત વાળા, સુનીલ સિદ્ધપુરા, ડિજેશ ગઢવી
-
ઓમદેવસિંહ ગોહિલ, વિશ્વરાજસિંહ જાડેજા, આશાબેન કથડ, સુરપાલસિંહ જાડેજા
-
જયંત ધોરિયા, હિમાંશુ પરમાર, ધર્મરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા
-
દેવાંશી જાડેજા, શત્રુઘ્નસિંહ ચુડાસમા, નીરવ વેકરિયા, વિવેક દુસાસા
-
ખુશાલી દુધાગરા, અક્ષય ઢોલરિયા, ખ્યાતિ સાવલિયા, કવિતા સાવલિયા
-
તિશા મોડાસિયા, પ્રકાશ જૈન(હિરણ), કલ્પેશ બગડા, રાજભા ચૌહાણ
-
મિતેશ જાદવ, મોનુ કૈલાશ ગૌડ, નવજિતસિંહ જાડેજા
16 આરોપીઓ સામે ફરિયાદ
-
ધવલ ભરત ઠક્કર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ હીરા જૈન
-
યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિતભાઈ રાઠોડ, નીતિન લોઢા જૈન (મૂળ), મનસુખ બાબુભાઈ સાગઠીયા
-
ગૌતમ કલ્યાણભાઈ જોષી, મુકેશભાઈ રામજીભાઈ મકવાણા, રોહિત વિગોરા, જયદીપ બાબુભાઈ ચૌધરી
-
રાજેશભાઈ બચુભાઈ મકવાણા, ઈલેશ વાઘજીભાઈ ખેર, ભીખા ભુલાભાઈ ઠેબા, મહેશ બચુ રાઠોડ